Friday, May 26, 2017


કીડનીની તકલીફ અને ઍના ચિન્હો
                                                                           
                                                                     માનવી માટે હાર્ટ, બ્રેન, આંખ અને કીડની ઍ  મહત્વના અંગો છે. આથી ઍની કાળજી લેવી આવશ્યક છે. ઍમા કીડની  પણ મહત્વનુ અંગ છે.  કીડનીંની તકલીફના ચિન્હો  દેખાય તો ઍની અવગણના કરવી ન જોઇઍ.
કીડનીની તકલીફ હોય તો
૧) મોઢામાથી ગંધ આવે છે.
૨) લોહીનુ દબાણ વધી જાય છે.
૩) વારે ઘડી ઍ પીસાબ કરવા જવુ પડે છે.
 ૪) પીસાબમા લોહી અને ફીણ આવવુ.
 ૫) સોજા આવવા
 ૬) ચામડીના દર્દ થવા
૭) શરીરના સાંધાઓમા દર્દ થવુ.
૮) ઉલટી જેવુ  થવાના ચિન્હો ઉદ્ભવવા.
 ૯) નબળાઈઓ આવવી.

                                                                             આની સામે બચાવના પગલા પણ લઈ શકાય છે.
૧)આખા દિવસમા ૪ થી ૬ ગ્લાસ  પાણી પીવુ.
૨) મીઠાનો ઉપયોગ ઑછો કરી નાખવુ
૩) ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરને કાબૂમા રાખવુ.
૪) તેલ, મસાલા વાળા અને ટૉક્સિક પદાર્થો ખાવાનુ બંધ કરવુ
૫) દારુ, સિગરેટ જેવા અન્ય નશા બંધ કરવા.
૬) કસરત કરવી
૭) પીસાબને રોકવો નહી.
૮)વજન પર કાબૂ રાખવો.
૯)  પૈન કિલર, અને  ઍંટી બાયોટીક ઑછીલેવી.
૧૦) ડૉક્ટર પાસે નિયમિત ચેક કરાવતા રહેવુ  જોઇઍ.
                                             આવા પગલાઓ નિયમિત લેતા રહેવા જોઇઍ
                                                           ******************************

Sunday, May 21, 2017


સુંદર, રમણીય, અલ્હાદક અને પવિત્ર ગિરિરાજ હિમાલય
                                                                                             તાજેતરમા જ હિમાલયને માણવાનો અવસર મળ્યો. ઍ  ઋષીઓ, સંતો અને દેવોની પવિત્ર ભૂમિ છે. હજારો વર્ષો જૂની હિન્દુ સંસ્કૃતીનુ ઍ મૂળ સ્થાન છે ઍનો અહેસાસ ત્યા પગ મૂકતા જ થઈ જાય છે.

                                                                                              ભવ્ય બરફ આચ્છાદીત શીખરો. પરમ શાંતિ અને ચારેબાજુ હરીયાળી ઍ માણસને ઉચ્ચ વિચારો, સાધના કરવામા સહાય કરે છે,  ઍમાથી જ સર્વોચ્ચ ભારતીય સંસ્કૃતીનુ નિર્માણ થયુ છે. ઍના વિષે કોઈ શંકા ન થઈ શકે. હિમાલયના પહાડોમાજ દેવી ગંગાનુ મૂળ છે જ્યા રામના પૂર્વજ ભગિરથે તપ કરી ગંગાને ભારતના મેદાનોમા ઉતારી હતી. ત્યા રાજા ભગીરથ અને ગંગાજી નુ મંદિર છે. આજુબાજુનો પ્રદેશ અત્યંત રમણીય છે જ્યાથી  નિર્મળ ગંગા નીકળે છે અને કલકત્તા પાસેની ગંગા સાગર જેવી દૂષિત બની નથી. આજ પ્રદેશમાથી જમુનાનુ મૂળ છે જે નદીને કિનારે ભગવાન શ્રી કૃષ્ણ ઍ ઍમની લીલાઓ કરી હતી. પરંતુ જમુનાના મુખ સુધી પહોચવુ મુશ્કેલ છે. ત્યા જમુનાજીનુ મંદિર બનાવાવામા આવેલુ છે. આ આખો પ્રદેશ રમણીય, હરીયાળો, પ્રદુષિત વિહીન અને બરફ આચ્છાદિત પર્વતીય શિખરોથી ભરપુર છે.

                                                                                                ઍકબાજુ પર ભગવાન શંકરનુ પવિત્ર મંદિર કેદારનાથ આવેલુ છે જે આશરે ૧૦૯૦૦ ફીટ પર આવેલુ છે ઍમા ભગવાન  શંકરના  પાડા સ્વરૂપની પીઠનુ મૂર્તિ છે જ્યારે ઍવુ કહેવાય છેકે ઍનુ મસ્તક નેપાળમા  પશુપતિનાથ મંદિરમા સ્થાપિત થયેલ છે. મંદિર ની  પાછળ બર્ફ આચ્છાદિત પહાડો આવેલા છે. અહિઍથી પાંડવ મોક્ષ દ્વાર તરફ આગળ ગયા હતા.

                                                                                                   હીંમાલયના પહાડોમા જ ભગવાન વિષ્ણુ નુ બદ્રીનાથનુ મંદિર આવેલુ છે જે આશરે ૧૦૩૦૦ ફીટ પર આવેલુ છે જ્યા ભગવાન   વિષ્ણુઍ તપ કર્યુ હતુ. ભગવાનના રક્ષણ માટે લક્ષ્મીજીઍ બોરનુ વૃક્ષ બની વિષ્ણુને રક્ષણ આપ્યુ હતુ. બૉરના  વૃક્ષને સંસ્કૃતમા બદરી કહેવાય છે આથી ઍ મંદિર બદ્રીનાથ કહેવાય છે. મંદિરની બાજુમા મંદાકીની નદી વહે છે અને કુદરત બહુજ  આલહાદક લાગે છે.

                                                                                                પર્વતો પરથી પડતા પાણીના રેલાઓ, બરફો માથી નીકળતુ   નિર્મળ જળ. અને રસ્તાઓ પરથી વહેતુ પાણી આખા વાતાવરણ ને  અલ્હાદક બનાવી મૂકે છે. અને બે ઘડી તો લાગે છેકે આપણે  સ્વર્ગમા આવી પહોચ્યા છે. આવી સુંદર છે ચારધામની દેવભૂમિ.
                                    ***************************************** 

Monday, May 1, 2017


  કો કો કોલા                                                          
                                                            કો કો કોલા વિશ્વનુ અતિપ્રિય પીણા તરીકે પ્રખ્યાત છે, પરંતુ ઍના બીજા ગુણો જાણવા જરૂરી છે.
 ૧)  કપડા પર ગુંદર ચીટક્યો હોય ઍનાથી સાફ થઈ શકે છે.
૨) જીવડાના ડંખોથી થતી ખુજાલિઓ દૂર કરવામા મદદ રૂપ થાય છે.
૩) સિલ્વર જેવી ધાતુને સાફ કરી પોલિશ કરી શકાય છે.
૪) ઍનાથી કપડા પરના તેલના  ડાઘા અને  ફ્લોર પરના  ડાઘા સાફ થઈ શકે છે.
૫)  રસોડૂ અને બાથરૂમને પણ સાફ કેરી શકાય છે.
                                                                     જે  વસ્તુ જીવનમા થાક અને પ્રેશર દૂર કરવા  મદદ રૂપ થાય છે ઍ બીજી રીતે કેવૂ ઉપયોગી છે ઍનો પ્રયાગો કરી જોવા જેવુ છે.
                                                         *************************************