Sunday, November 29, 2015


ઍપલના સ્ટીવ જોબના છેલ્લા શબ્દો
                                                                                                                                         સ્ટીવ જોબનુ કૅન્સરની જીવલેણ બિમારીથી મૃત્યુ થયુ હતુ. તેઓ મૃત્યુ સામે લાચાર હતા. તે વખતે ઍમણે કહેલા શબ્દોમા ઍમને છેલ્લા દિવસોમા થયેલા નિર્વાણનો નિચોડ છે.
                                                  ચારેબાજુ અંધકારની વચમા જીવન બચાવનાર મશીનની લીલી લાઇટ દેખાય છે,  અને ઍ મશીનમાથી આવતા ગૉઘરો અવાજ જ સાંભળાય છે. મને મૃત્યુના ભણકારા હવે સંભળાઈ રહ્યા છે. હવે મને મારી સફળતા સિવાય બીજો કોઈ આનંદ દેખાતો નથી. મને હવે સમજાયુ છેકે જે સંમ્પતી અને ખ્યાતિ માટે મને ગર્વ હતો તે હવે આવી રહેલા મૃત્યુ સામે નિરર્થક છે. હવે મને ખબર પડે છે કે જીવનમા  જરૂરીયાત પ્રમાણે સંમ્પતી ભેગા કરવાની સાથે આપણે બીજી  વસ્તુઓ માટે પણ આગળ વધવુ જોઈ ઍ.
                                                   જીવનમા સબંધો, કલા, અને સેવેલા સપનાઓ પણ મહત્વના છે. ઍક વસ્તુ સમજવી જોઈઍ  આપણે  વખતને આધીન છિઍ અને ગમે ત્યારે આખરી પળ આવી શકે છે.
                                                         **************************************૮

Saturday, November 21, 2015

ઈંદિરા ગાંધી- જન્મ નવેંબર ૧૯, ૧૯૧૭
                                                                                  ઈંદિરાનો જીવ ૩૧ મી ઑક્ટોબર ૧૯૮૪ દિવસે ઍમના અંગરક્ષકના હાથે જ ગયૉ. ઍના કારણ માટે ઍમણે જ ઉભુ કરેલુ ખાલિસ્તાનનુ ભુત જ હ્તુ.  આ  બધુ સત્તાનો મોહ અને ઍને લગતી  સાઠમારીઓ જવાબદાર હતી.  ઈંદિરા રાજકારણમા રમત રમવામા નિપુણ હતા.ઍમાથી જ ઍમનુ કરુણ મૃત્યુ થયુ હતુ.
                                                 નહેરુના વખતમા જ ઈંદિરાને ૧૯૫૯ મા કૉંગ્રેસના પ્રમુખ બનાવવામા આવ્યા હતા. તે વખતે બીજા ઘણા યોગ્ય સીનિયર કોંગ્રેસી  નેતાઓ પ્રમુખ થવાને લાયક હતા પરંતુ  ઈંદિરાને કોંગ્રેસ પ્રમુખ બનાવી નહેરુઍ વંશીય રાજકારણના ઍંધાણ આપી દીધા હતા. ત્યારબાદ કામરાજ યોજના દ્વારા બધાજ સીનિયર કોંગ્રેસી નેતાઓને હટાવી ઈંદિરા માટે વડાપ્રધાન પદનો માર્ગ ખુલ્લો કરવામા આવ્યો હતો.

                                                   ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી અને ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી ઈંદિરાઍ ભારતના વડા પ્રધાન તરીકે દંડ, દામ અને ભેદ વડે રાજ઼ કર્યુ.  'ગરીબી  હટાવો 'જેવા સુત્રો પણ આપવામા આવ્યા પરંતુ ઍ દિશામા કઈ વજુદ થયુ નહી. રાજકીય કારણોસર 'બૅંકોનૂ રાષ્ટ્રીયકરણ', ' રાજાઓના વેતનો' પણ નાબૂદ કરવામા આવ્યા.  ઍમા બૅંકોના હજારો કરોડોના  ખરાબધિરાણ  થઈ ગયા જે દેશને માટે બોજ બની રહયા છે. ઈંદિરાઍ સત્તાને ટકાવી રાખવા માટે દેશમા  'ઍમર્જેન્સી' દાખલ કરી અને બધા વિરોધ પક્ષના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.  ઍમા ઍમને ચૂંટણિમા હાર પણ ભોગવવી પડી. પરંતુ ખાલિસ્તાનના પ્રશ્ન પર ઍમણે જાન ગુમાવવો પડ્યો.   નહેરૂ અને ગાંધી વંશ તો ચાલુ જ રહ્યો.
                                                        સત્તાના રાજકારણમા  હજુ પણ વંશીય રાજકારણ ચાલુ જ છે પરંતુ દેશનો ઉધ્ધાર ક્યારે થશે ઍ પ્રશ્ન હજુ ઉભો છે?
                                                ********************************************

Saturday, November 7, 2015


રોકાણના ચાણક્યની વિચિક્ષણતા
                                                                                          આજે વોરેન બફેટ દુનિયાના રોકાણકારોમા મહારથી ગણાય છે. ઍ જ્યા પૈસા નાખે છે ત્યાથી સોનૂ નીકળે છે. જે  કંપનીઓમા ઍ પૈસા નાખે છે ઍના શેરના ભાવ વધવા માંડે છે. ઍના પ્રવચનોમા આખી દુનિયાના નાણાકીય માંધાતાઓ  ભાગ લે છે.   વૉરેન બફેટ્ના નાણાકીય નિર્ણયો શેર માર્કેટને હચમચાવી નાખે છે. આ ઍના નાણાકીય પ્રભાવની વાત છે. પરન્તુ ઍમના ડહાપણનો પણ લાભ લેવા જીવો છે.
                                                               વૉરેન બફેટના કહેવા પ્રમાણે આવકના ઘણા  સાધનો હોવા જ઼ોઈઍ. ઍક જ આવક પર આધાર રાખવો ડહાપણ ભર્યુ નથી. તમારી પાસે ખરીદવાની શક્તિ હોય તો જરૂર પૂરતુ જ ખરીદો. કદાચ ઍવુ ન બનેકે અતી ખરીદીથી તમારે જરૂર હોય ઍવી વસ્તુને વેચવાનો દિવસ આવી જાય.  ઍમનુ માનવુ છેકે પહેલા બચત કરો અને પછી વાપરો. પહેલા વાપરવુ અને  વધેલી રકમની બચત કરવી ઍમા ડહાપણ નથી.  નદીના ઉંડાણને માપવામાટે બન્ને પગો નદીમા નાખવા જરૂરી નથી. જેમકે  બધા ઈંડાઑ ઍક જ બાસ્કેટમા મૂકવા નહી. દરેક જણા પાસે પ્રામાણિકતાની અપેક્ષા રાખવી નહી કારણકે ઍ બહુ મોંઘી ચીજ છે.
                                           આજ બતાવે છે કે વૉરેન બફેટની સફળતા પાછળ ઍમનુ ડહાપણ રહેલુ છે, જે જીવનનુ અગત્યનુ  અંગ છે.
                                              ***********************************

Sunday, November 1, 2015


વિશ્વનાઆર્થિક સિધ્ધાંતોના મુળમા
                                                                                                                                                          ૧)તમે કાયદાની સહાય વડે સમૃધ્ધિને ગરીબાઈમા ફેરવી ન શકો અને ઍજપ્રમાણેકાયદા વડે ગરીબાઈને સમૃધ્ધીંમા ફેરવી શકો નહી. ઍટલે કે ધનવાનોના ધન લઈ ગરીબોને ધનવાન ન બનાવી શકાય.
૨) જે કોઈ કામ કર્યા વગર મેળવે છે ઍની સામે બીજા ઍકને કામ કરીને ગુમાવવુ પડે છે. ઍટલેકે કામ કર્યા વગર મેળવેલુ બીજાં કામ કરનારાના હકો પર તરાફ મારવા સમાન છે.
૩)કોઈ પણ સરકાર પહેલા બીજા પાસે લીધા વગર કોઈને આપી શકતી નથી. ઍટલે સરકારતો ઍક પાસે લઈને જ બીજાને આપે છે.
૪)તમે ધનનુ વિભાજન કરીને સમૃધ્ધિ વધારી શકો નહી.
૫)કોઈ પણ દેશની પડતીંની શરૂઆત સમજવી જ્યારે ૫૦% લોકો માનવા માંડે છે કે બીજા ૫૦% દેશના લોકો ઍમની સંભાળ લેશે અને બીજા ૫૦%દેશના લોકો જે કામ કરે છે ઍટલૂ જ મળે છે. આથી જે દેશના બહુમતી લોકો બીજાની કમાણી પર આધાર રાખે છે ઍ દેશની પડતી નિશ્ચિત છે.
                                આ પરથી ખ્યાલ આવે છે સામ્યવાદીરશિયાની પડતી કેમ થઈ હતી.
                                               *********************************૮