Saturday, October 10, 2015

ભારતમાબધા ધર્મોના મુળમા

                                                                                                             હિન્દુ ઍક ધર્મ નથી પરંતુ  જીવવાની ઍક વિચારધારા છે. આથી ઍ ભારતમા  ઉદ્ભભવ પામેલા બધા ધર્મોના મુળમા છે. ભારતમા બૌધ, જૈન અને શીખ જેવા ધર્મોના મુળભુત. સીધાંતોમા હિન્દુ વિચારધારાના પડછાયાઑ દેખાય છે.

                            શીખ ધર્મના ગ્રંથ સાહેબમા અડધુ સાહિત્ય હિન્દુ વિચાર ધારાને આધારિત છે.

          જૈનોની શરીર દમન દ્વારા સાધનાની વિચાર ધારા હિન્દુ અવધૂત વિચારધારાને મળતી આવે છે.

                   તે ઉપરાંત દુનિયામા મુખ્ય ધર્મોમાના બૌધ ધર્મના  ઉપદેશોમા ક્યા ધર્મ પડછાયા પડે છે ઍ ભગવાન બુધ્ધના નીચે આપેલા બોધ  પરથી જાણી શકાય છે.
૧) ભૂતકાળમા ડોકિયા ન કરો. ભવિષ્ય વિષે  સ્વપ્નાઓ સેવવા કરતા તમારા મગજને વર્તમાનમા કેન્દ્રિત કરો.
૨)દરેક પ્રશ્નોના કોયડા તમારા દિલમા છે, આકાશમા નહી.
૩) ક્રોધ ઍ ગરમ કોલસાની જેમ બીજા પર નાખવા માટે હોય છે, પરન્તુ ઍમા તમે પોતે પણ બળો છો.
૪) જીભ ઍ તીક્ષ્ણ છરી સમાન છે. ઍ બીજાને મારી નાખે છે, ઍક પણ લોહીનુ ટિંપુ વહાવ્યા સિવાય.
૫) તમે વિચારો છો, ઍવા બનો છો.
૬) જે બીજાની ઈર્ષા કરે છે, ઍ ને શાંતિ મળતી નથી.
૭) જેમ મીણબત્તી અગ્નિ વગર બળ તી નથી તેમ અધ્યામિકતા વગર માનવી જીવી શકતો નથી.
                                                    આના પરથી જાણી શકાશે કે હિન્દુ વિચારધારાના મૂળ ક્યા ક્યા ફેલાયેલા છે.
                                       *************************************************

Thursday, October 8, 2015



આધુનિકતાના વિધાતા                                                            
                                                                                              ગૂગલના યુવાન વડા 'લેરી પેજ' તો લોકોની આશા કરતા વધુ આપવામા માને છે. આથી ગૂગલે અજબ સિદ્ધિઓ મેળવી છે.  અમેરિકાની ટેસ્લા મોટર કંપની જે ઈલેક્ટ્રીક મોટરકારો  બનાવે છે જેની તાજેતરમા ભારતના વડા પ્રધાને મુલાકાત લીધી હતી. ઍના વડા 'ઍલન માસ્ક' તો 'બધાજ ઈંડાઑ ઍકજ બાસ્કેટમા મૂકે છે પરંતુ ઍ બાસ્કેટ પર પોતાનો પુરો અંકુશ રાખે છે.' ઍટલે કે પોતાની જ હોશયારી વડે જ કામ લેવામા માને છે.

                                                             'ઍમોજોન' ઍ દુનિયાની ઇંટરનેટ પર વસ્તુઓ વેચનારી મોટામા મોટી કંપની છે. ઍના વડા 'જેફ બિજ઼ોસ' તો કઈક નવુ કરવા માટે લોકોની ગેરસમજ વહોરી લેવા પણ તૈયાર છે. ઍપલના સ્થાપક 'સ્ટીવ જોબ' તો માનતા હતા કે' જ્યારે જીવનમાવખતની  તાણ હોય ત્યારે બીજાના જેવુ જીવન જીવી આપણા જીવનને શા માટે વેડફી નાખવુ?' સ્ટીવ આમતો બહુ ભણેલા ન હતા પરંતુ  નવી વસ્તુઓના સર્જનમા  મહેર હતા. . આથી તેઓ ઍપલ જેવી વિશ્વ વિખ્યાત કંપનીનુ સર્જન કરી શક્યા. '


                                                           અલીબાબાના'  જૅક મા' કહે છે કે  'આજ ભલે ક્રુર હોય, આવતી કાલ પણ ઍનાથી વધારે ક્રુર હોય, પરંતુ ત્યારબાદનો  દિવસ  તો જરુર સુંદર આવવાનો છે.' આમા સફળતા માટેનો આશાવાદ સમાયેલો છે.  'વોટસ ઍપ '  ના' જેન ક્વાન' ને તો દુનિયાને ઍક જ શ્રેષ્ટ વસ્તુ આપવી હતી તે આપી ને જંપ્યા.'

                                                              આ સફળ માણસોની કહાની છે, જેમણે દુનિયાને બદલી નાખી છે. અને જેમના થકી આપણે આધુનિક વસ્તુઓને માણીઍ છીઍ.
                                           ******************************************           

Monday, October 5, 2015


ભારત અને અમેરિકા
                                                                                                               ભારત ૧૯૪૭મા સ્વતંત્ર થયુ પરતુ સારી ઍવી પ્રગતિ કરી છે.  ઉદ્યોગોમા, અણુ વિજ્ઞાનમા, અવકાશ વિજ્ઞાનમા, રૉકેટ અને ટેક્નોલોજીમા અનોખી સિધ્ધિ મેળવી છે. આજે ભારત  વિશ્વમા આર્થિક સત્તા તરીકે ચોથા સ્થાને આવી ગયુ છે. આ બધુ૬૮ વર્ષમા પ્રાપ્ત કર્યુ છે. તે છ્તા લોકોમાઅસંતોષ  છે કારણકે ભારતીયોને અમેરિકાને તોલે ઉભા રહેવુ છે. ઍમા ધીરજનો સવાલ છે. હજુ વધુ વર્ષો અને મહેનતની જરૂર પડશે. અમેરિકાઍ પણ આસમૃધ્ધિ સ્થાન પર પહોચવા માટે અઢળક મહેનત, બલિદાન અને વખ્ત પણ આપ્યો છે. અમેરિકાની ૧૯૧૦ ની પરિસ્થિતિ જોશુ તો લાગશેકે ભારતની આજની સિધ્ધીઓ પણ કાઇ નાખી દેવા જેવી નથી.
                                               ૧૯૧૦મા અમેરીકામા પરિસ્થિતિ કઈક આવી જ હ્તી.
૧) લોકોની સરેરાશ ઉંમર ૪૭ વર્ષની હતી.
૨)  સ્ત્રીઓ પોતાના વાળો  મહિનામા ઍક્વાર ઈંડા કે બોરેક્ષથી ધોતી.
૩) તે વખતે કૅન બિયર, આઇસ ચાની શોધ થઈ ન હતી.
૪) ૧૪% ઘરોમા જ બાથટબ હતા.
૫) ૮% ઘરોમા જ ટેલિફોન હતા.
૬) ફક્ત ૮૦૦૦ જેટલી જ મોટર કારો હતી.
૭) તે વખતે કલાકના ૧૦ થી ૧૨ માઈલની ગતિે ઍ કારો ચાલતી.
૮) સરેરાશ ઍક કલાકના ૨૨ સેંટ જેટલો પગાર મળતો. સરેરાશ વર્ષે  $૨૦૦/- થી $૪૦૦/_ મજૂરો કમાતા.
૯) ૯૫%  બાળકોનોજન્મ ઘરમા કરાવવામા આવતો.
૧૦) ૯૯% ડોક્ટરો પાસે કૉલેજની ડિગ્રી ન હતી
૧૧) ઈંડા ૧૪ સેન્ટમા ૧૨ મળતા હતા.
                                               આ જોતા ભારતનો આટલા વર્ષો બાદ આજનો આર્થિક અને વિજ્ઞાનિક વિકાસને અવગણી શકાય નહી.
                           *********************************************