Wednesday, March 13, 2024



 દારૂનું સેવન 

                                    દારૂના સેવનને નૈતિકતાની દ્રષ્ટિથી કે પછી  સામાજિક દુષણો તરીકે જોવા કરતા એને બીમારી તરીકે જોવાની જરૂરિયાત છે. એનો ઈલાજ પણ રીતે થવો જોઈએ . વિશ્વમાં કાયદાથી એને કાબુમાં લાવવા પણ પ્રયત્નો થયા છે, પરંતુ અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો પણ એમાં નિસ્ફળ નીવડ્યા છે.

                                દારૂનું સેવન પુરાતન કાળથી થતું આવ્યું છે.ભારતમાં તો એ સોમરસ નામે ઓળખાતો હતો.  એના સામાજિક જડ પણ બહુ  શક્તિશાળી વર્ગમાં  મજબૂત રહયા  છે.એથી એના કાબુંમાટે તર્ક પણ વાપરવાની જરૂરત છે.



                               તર્કની દ્રષ્ટિએ છેલ્લા દાયકાથી દરરોજના એક કે બે કપ વાઈન પીવાથી  હૃદય મજબૂત બને છે. એમ માનવામાં આવતું હતું. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનઆ અહેવાલ પ્રમાણે દારૂ કોઈ પણ પ્રમાણમાં લેવાથી એ તંદુરસ્તી માટે હાનિકારક છે. આથી અમેરિકામાં અને  કેનેડામાં એનું સેવન  કરવાની મર્યાદાઓ ઓછી કરવામાં આવી છે.



                                   એક વાતમાં તથ્ય છેકે દારૂના સેવનથી લીવર પર ખરાબ અસર થાય છે. અને અનેક જાતના કેન્સર પણ થઇ શકે છે. આથી દૂરના સેવનની સ્વાચ્છીક  મર્યાદા લાવવી જરૂરી છે. આલ્કોહોલ સેવનથી આયુષ્ય પણ ઓછું થઇ શકે છે. તે ઉપરાંત ૧૫% જેટલા બ્રેસ્ટ કેન્સર દારૂના સેવનથી થાય છે. 'વિશ્વ હૃદય   સંઘઠને  '  ૨૦૨૨ જાહેર કયુંછેકે આલ્હોહોલ માનવીની તબિયતને આડ અસર કરે છે. એટલે હૃદયની તંદુરસ્તીને પણ  એ લાગુ પડે છે.

          આથી દારૂ સેવનના  પ્રશ્નને  સ્વાસ્થ્યને ધ્યાનમાં  રાખીને લેવાની જરૂરત છે જેથી એને કાબુમાં લાવી શકાય. એને કાયદાથી  ઉકેલવામાં મુશ્કેલી રહેલી છે કારણકે એમાં સમાજનો  શકિશાળી  વર્ગ  અને  બહુમતી ગરીબ લોકો પણ દારૂ સેવનમાં સંડોવાયેલા હોય છે. 

                                *****************************

                                         

                                        

No comments:

Post a Comment